(N/A) મૂત્રના સાંદ્રણની ક્રિયાવિધિ મૂત્રપિંડમાં થાય છે.
- સસ્તન અને પક્ષીઓ સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે; આ માટે તેઓએ પ્રતિપ્રવાહ (counter-current) ક્રિયાવિધિ વિકસાવી છે.
- હેન્લેનો પાશ (Henle's loop) અને વાસા રેક્ટા (vasa recta) આ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
- હેન્લેના પાશની બે ભુજાઓમાં ગાળણનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય છે,આમ તે પ્રતિપ્રવાહ બનાવે છે.
- વાસા રેક્ટાની બે ભુજાઓમાં રુધિરનો પ્રવાહ પણ પ્રતિપ્રવાહ સ્વરૂપે હોય છે.
- હેન્લેના પાશ અને વાસા રેક્ટા વચ્ચેની નિકટતા,તેમજ તેમાં રહેલા પ્રતિપ્રવાહને કારણે અંતઃ મજ્જક આંતરાલીય પ્રવાહી (inner medullary interstitium) તરફ અભિસરણ સાંદ્રતા (osmolarity) વધતી રહે છે,એટલે કે બાહ્યકમાં $300 \ mOsmol \ L^{-1}$ થી લઈને અંતઃ મજ્જકમાં લગભગ $1200 \ mOsmol \ L^{-1}$ સુધી.
- આ ઢાળ મુખ્યત્વે $NaCl$ અને યુરિયાને કારણે સર્જાય છે.
- $NaCl$ હેન્લેના પાશની આરોહી ભુજા દ્વારા વહન પામે છે,જે વાસા રેક્ટાની અવરોહી ભુજા સાથે આપ-લે થાય છે.
- યુરિયાનો થોડો જથ્થો હેન્લેના પાશની આરોહી ભુજાના પાતળા ભાગમાં પ્રવેશે છે,જે સંગ્રહણ નલિકા દ્વારા ફરીથી આંતરાલીય પ્રવાહીમાં વહન પામે છે.
- હેન્લેના પાશ અને વાસા રેક્ટાની વિશિષ્ટ ગોઠવણી દ્વારા થતા આવા પદાર્થોના વહનને પ્રતિપ્રવાહ ક્રિયાવિધિ કહેવામાં આવે છે.
- આ ક્રિયાવિધિ મજ્જક આંતરાલીય પ્રવાહીમાં સાંદ્રતાનો ઢાળ જાળવી રાખવામાં મદદ કરે છે.
- આવા આંતરાલીય ઢાળની હાજરી સંગ્રહણ નલિકામાંથી પાણીના સરળ વહનમાં મદદ કરે છે,જેનાથી ગાળણ (મૂત્ર) સાંદ્ર બને છે.
- માનવ મૂત્રપિંડ શરૂઆતમાં બનેલા ગાળણ કરતા લગભગ ચાર ગણું સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરી શકે છે.